કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં રસીકરણને વેગ આપવા ભારત સરકારે એક મોટું પગલું ભર્યું છે. વિદેશમાં ઉત્પાદિત અને ઉપયોગમાં લેવાયેલી કોરોના(Corona)રસી માટે સરકારે ભારતમાં ફરજિયાત ટ્રાયલને રદ કરી દીધી છે. સરકારના આ પગલાથી વિદેશી રસી(Vaccine)ઓની આયાતને વેગ મળશે. આ પગલું એવા સમયે લીધું છે. જ્યારે દેશમાં કોરોના(Corona)ની બીજી લહેર હોવા છતાં દરરોજ કોરોનાના નવા 2 લાખ નવા ચેપ અને અને રોજ સરેરાશ ચાર હજાર લોકો મૃત્યુ પામી રહ્યા છે.વહેલી તકે રસીની આયાત માટે ફાઇઝર સાથે વાટાઘાટો ચાલી રહ્યો છે. આ સિવાય જ્હોનસન અને જહોનસન અને મોડર્ના સાથે પણ ચર્ચા થઈ છે.
નિવેદનમાં આવ્યું છે કે, “અમે આંતરરાષ્ટ્રીય રસી ઉત્પાદકોને અપીલ કરીએ છે કે આવો અને ભારતમાં ભારત અને વિશ્વ માટે ઉત્પાદન કરો.” દેશમાં રસીના 20 કરોડથી વધુ ડોઝ મૂકવામાં આવ્યા છે. પરંતુ હજુ માત્ર 3 ટકા વસ્તીને જ બંને ડોઝ મળ્યા છે.
25-Jun-2025