પાકિસ્તાનના (Pakistan) બંદરગાહ શહેર કરાચીમાં હુમલાખોરોએ એક ટ્રક પર ગ્રેનેડ ફેંક્યા બાદ ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.જોકે, આ હુમલો શનિવાર રાતના કરાયો છે. પોલીસે જણાવ્યું કે મહિલાઓ અને બાળકો સહિત 20 જેટલા લોકો ટ્રકમાં હતા અને તેઓ લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. આ હુમલો કરાચીના બલડિયા શહેરમાં (Baldia Town) થયો હતો. કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી અને વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે વિરોધાભાસી અહેવાલો મળી રહ્યા છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક અજાણ્યા લોકોએ ટ્રક પર ગ્રેનેડ ફેંક્યા હતા, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે ટ્રકની અંદર વિસ્ફોટ થયો હતો. હુમલાની નિંદા કરતા કરાચી પોલીસ વડા ઇમરાન યાકુબ મિન્હાસે કહ્યું કે, ગ્રેનેડ હુમલામાં 11 લોકોના મૃત્યુ થયા છે.
બ્લાસ્ટની (Pakistan Karachi Blast) તપાસ ચાલી રહી છે. તેમણે કેટલાક પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને કહ્યું કે મોટર સાયકલ પર આવેલા કેટલાક લોકોએ ગ્રેનેડ ફેંક્યા અને ભાગી ગયા. આતંકવાદ વિરોધી વિભાગના વરિષ્ઠ અધિકારી રાજા ઉમર ખત્તાબે કહ્યું કે, આ આતંકવાદી હુમલો હોવાનું જણાય છે. જે શહેરમાં લોકોમાં ભય અને આતંક ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો.
જંગ અખબારે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના અધિકારીને ટાંકીને કહ્યું કે તેઓને શંકા છે કે આ વિસ્ફોટ બોમ્બ વિસ્ફોટને કારણે થયો હતો, કારણ કે તેમને ટ્રકમાંથી છરા, બોલ્ટ મળી આવ્યા હતા જે સામાન્ય રીતે દેશી બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા હતા.
15 કિલોગ્રામનો બોમ્બ નિષ્ક્રિય કરાયો
બીજી બાજુ પેશાવરમાં 15 કિલોનો બોમ્બ નિષ્ક્રિય કરવામાં આવ્યો છે. પોલીસે દેશના અશાંત ઉત્તર પશ્ચિમી કબાયલિ વિસ્તારમાં 15 કિલો વજનના બોમ્બને નિષ્ક્રિય કરીને સંભવિત આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બોમ્બ ઉર્મુર બાલા ગામમાં 132 કિલોવોલ્ટના ઇલેક્ટ્રિક પોલમાં મૂકવામાં આવ્યો હતો, જેને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે ડિફ્યુઝ કર્યો હતો. તેમણે કહ્યું કે જો આ બોમ્બ વિસ્ફોટ થયો હોત તો મોટું નુકસાન થઈ શક્યું હોત. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025