ગુજરાતની મીની એઈમ્સનુ વડાપ્રધાનના હસ્તે ઉદ્ધાટન : હોસ્પિટલમાં માત્ર રૂ.150માં જનરલ વોર્ડનું ભાડું ને 3 ટાઇમ ભોજન!

28-May-2022


પીએમ મોદીએ લલકાર્યા :'દિલ્હીમાં એક સમયે એવી સરકાર હતી કે ગુજરાતના પ્રોજેક્ટમાં એને મોદી જ દેખાતા, મગજ ફટકે એટલે ફાઈલને તાળુ મારી દેતા'


રાજકોટમાં એઇમ્સ, જામનગરમાં મારૂ આયુર્વેદ અને અહીં મિની એઇમ્સ, વાહ મારી બાપુડી...
મોસાળે જમણવાર ને મા પીરસનાર હોય તો કાંઈ ખૂટે? આ ડબલ એન્જિનની સરકાર છે
દિલ્હીમાં એક દીકરો બેઠો છે, માતાઓ ચિંતા ન કરે, દેવાના બોજા તળે હવે નહીં પીડાવ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સૌથી પહેલા જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતા. આટકોટ પહોંચી મોદીએ હોસ્પિટલનું લોકર્પણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. બાદમાં સભાસ્થળે પહોંચ્યા હતા અને પોતાના સંબોધનમાં ગુજરાતીમાં પૂછ્યું હતું કે, તમારા બધાનું રસીકરણ થઈ ગયું છે ને, લોકોએ હાથ ઊંચો કરી એકસૂરમાં કહ્યું હા. રાજકોટમાં એઇમ્સ, જામનગરમાં મારૂ આયુર્વેદ અને અહીં મિની એઇમ્સ, વાહ મારી બાપુડી...મોદીએ નામ લીધા વગર વિપક્ષ પર વાર કર્યો હતો અને કહ્યું હતું કે, દિલ્હીમાં એક સમયે એવી સરકાર હતી કે અહીંના પ્રોજેક્ટમાં એને મોદી જ દેખાતા, મગજ ફટકે એટલે ફાઈલને તાળું મારી દે
આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું
આ ઉપરાંત આજે એક દિવસ માટે આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું છે. જેને પગલે બે એ૨લાઈન્સ કંપનીની દિલ્હીની ફ્લાઈટનાં સમયમાં ફે૨ફા૨ ક૨વામાં આવ્યો છે. સ્પાઈસ જેટની સવા૨ની દિલ્હી અને ઈન્ડિગોની સવા૨ની દિલ્હી ફ્લાઈટના સમયમાં ફે૨ફા૨ કરાયો છે. આજે સવારે સ્પાઈસ જેટ SEJ 3701/3703 દિલ્હી રાજકોટ-દિલ્હી સવારે 7.45ના બદલે 7.00 કલાકે લેન્ડ થઈ 7.30 કલાકે ટેક ઓફ થશે. ત્યા૨બાદ ઈન્ડિગો IGO 2476/2163 દિલ્હી-રાજકોટ દિલ્હી સવારના 9.45ના બદલે બપોરે 1.00 કલાકે લેન્ડ થઈ 1.30 કલાકે દિલ્હી જવા ટેકઓફ થશે


2001માં રાજકોટમાં મને મોકો આપ્યો
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ખુશી છે આજ માતુશ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલનો શુભારંભ થયો છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરશે. સરકાર સાથે જનતાનો સાથ મળે એટલે હિંમત વધે છે. ભાજપની સરકારે આઠ વર્ષ પુરા કર્યા છે. આજે ગુજરાતની ધરતી પર આવ્યો છું, બાપુ અને સરદાર પટેલની ધરતી છે, એઇમ્સનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 3 કરોડ ગરીબને પાકા મકાન, 10 કરોડને ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ, 6 કરોડ પરિવારને નલ સે જલ, 50 કરોડ લોકોને મફત સારવાર આ ફક્ત આકડા નથી પણ ગરીબની ગરીમા સુનિશ્ચિત કરવાનું અમારૂ પ્રમાણ છે. 2001માં રાજકોટમાં મને મોકો આપ્યો ત્યારે 9 જ મેડિકલ કોલેજ હતી. આજે 30 મેડિકલ કોલેજ આપી છે. નવી પેઢીને કહેજો આપણે આ કરી બતાવ્યું છે. તેમજ સરકારની વિવિધ યોજના વિશે વડાપ્રધાને લોકોને માહિત આપી હતી.
સભાસ્થળે લોકો પહોંચ્યા.
સૌરાષ્ટ્રની 300થી વધુ ST બસ PMના કાર્યક્રમમાં ફાળવાઈ હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. જસદણના આટકોટ ગામે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડિયા મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની એકઠી કરવા ગામેગામ અને શહેરમાંથી પણ લોકોને આટકોટ લઇ જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની 300થી વધુ એસ.ટી બસ ફાળવી હતી. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં એસ.ટી બસ આટકોટના કાર્યક્રમમાં ફાળવી દેવાઈ હતી.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આટકોટ પહોંચ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આટકોટ પહોંચ્યા હતા.
વ્યવસ્થાના ભાગરૂપે 3500 સ્વયંસૈનિકો તૈનાત રહ્યા
રાજકોટમાં મોદી એરપોર્ટ બહાર નહીં નીકળે છતાં તમામ ઈમરજન્સી વ્યવસ્થા કરવામાં આવી હતી. કલેક્ટર અને પોલીસ તંત્ર છેલ્લી ઘડી સુધીની તૈયારીમાં વ્યસ્ત રહ્યું હતું. આટકોટમાં મોદીની સભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ માટે વ્યવસ્થાના ભાગરૂપે 3500 સ્વયંસૈનિકો સભાસ્થળ પર તૈનાત રહ્યા હતા. આટકોટ ખાતે નવનિર્મિત હોસ્પિટલ અને સભાસ્થળ તેમજ પાર્કિંગ સ્થળ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મહિલાઓ પણ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં પહોંચી.
મહિલાઓ પણ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં પહોંચી.
એરપોર્ટ પર SPG કમન્ડો તૈનાત રહ્યા
તમામ નેતાઓ ચાર હેલિકોપ્ટર મારફતે આટકોટ જવા રવાના થયા હતા. આ માટે હેલિકોપ્ટરોએ પોતાની રન પણ પૂર્ણ કરી હતી. આજે સવારે 9:30 વાગ્યે મોદી દિલ્હીથી રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ થયા હતા. આ માટે આજથી જ એરપોર્ટ ઉપર વધારાનો પોલીસ બંદોબસ્ત ઉપરાંત SPG કમાન્ડોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આસપાસના બિલ્ડિંગ ઉપર સ્નાઈપરને પણ ગોઠવી દેવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
3500 પોલીસ જવાન ખડેપગે રહ્યા
સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે માટે સભાસ્થળની આસપાસ અને નજીક 500 વીઘા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. આ સાથે 600×1200 ફૂટનો વિશાળ મુખ્ય ડોમ અને જાહેર જનતા માટે 4 ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા તથા 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા હતા. 1500 જેટલા સ્વયંસૈનિકોએ પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સેવા આપી હતી. જ્યારે 2000 સ્વયંસૈનિકો બેઠક વ્યવસ્થામાં ખડેપગે રહ્યા હતા.
70 ટ્રેક્ટર સાથે રેલી યોજાઇ
આટકોટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરત બોઘરાનું વીરનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 70 ટ્રેક્ટર દ્વારા ભવ્ય રેલી યોજાઇ હતી. લોકો ડીજેના તાલ સાથે મનસુખ માંડવીયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મોહન કુંડારીયા અને ગામના સરપંચ પરેશ રાદડિયા સહિતના ગામના આગેવાનો દ્વારા ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
મંચ પરથી ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, આજે સોનાનો સૂરજ ઊગ્યો છે. હું ભણતો ત્યારે સપનું હતું તે આજે સાકાર થયું છે. ગામડામાં નથી રહેતા વડાપ્રધાનના દિલમાં રહીએ છીએ. આ હોસ્પિટલમાં આવેલા દરેક લોકોને તંદુરસ્ત બનાવીને ફરી ઘરે મોકલીશું તેવી કામગીરી કરાશે.
હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા ડો.ભરત બોઘરાએ એક એક મશીનરીની જાણકારી મોદીને આપી હતી. બાદમાં સભાસ્થળે પહોંચતા કિર્તીદાને મોદીજી ભલે પધાર્યા...ના ગીત સાથેસ્વાગત કર્યું હતું. મોદીએ સ્ટેજ પરથી હાથ ઊંચો કરી જનમેદનીનો આવકાર ઝીલ્યો હતો. આટકોટમાં ભરત બોઘરાએ મોદીને પાઘડી પહેરાવી જસદણનું પ્રખ્યાત આરતીનું મિની નગારૂ ભેટમાં આપ્યું હતું.
ગામડાના લોકો ટ્રેક્ટરમાં આટકોટ પહોંચ્યા હતા
આટકોટમાં જવા માટે આસપાસના ગામડાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીજેના તાલે ગામડાના લોકો ટ્રેક્ટરમાં સવાર થઈ આટકોટ પહોંચ્યા હતા. વીરનગર ગામમાં હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ભરત બોઘરાનું ડીજેના તાલે અને 70 શણગારેલા ટ્રેક્ટર સાથે રેલી યોજાઇ હતી.

 

સવારે ૧૦.૦૦ વાગ્યા સુધીમાં અહેવાલ

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આટકોટમાં : મેગા ઇવેન્ટ : ૩ લાખની મેદનીને સંબોધન કરશે

-૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન : મુખ્યમંત્રી - પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

-સાત જિલ્લાઓમાંથી પ્રજાજનો ઉમટશે : ૧૮૦૦ જેટલી નાની મોટી બસો તૈનાત : તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા

-જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા : ટીમ ભરત બોઘરા દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થા - આયોજન : પછાત પ્રદેશમાં વરસશે આયુષ આશિર્વાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફુંકશે વડાપ્રધાન મોદી

આટકોટ : કેન્દ્રમાં આઠ વર્ષ પૂરા કરનાર યશસ્વી વડાપ્રધાન મોદી આજે શનિવારે સૌરાષ્ટ્રના આટકોટ ગામે રૂા. ૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આવી રહ્યા હોય ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે. ૭ જિલ્લાઓમાંથી લોકો ઉમટી પડશે તેવું જાણવા મળે છે. લગભગ ૩ લાખની મેદનીને વડાપ્રધાન સંબોધન કરશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર લોકોને લાવવા - લઇ જવા માટે નાની મોટી ૧૮૦૦ જેટલી બસો તૈનાત કરવામાં આવી છે એટલું જ નહિ તમામ લોકો માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આટકોટ એ રાજકોટની નજીક છે તેથી રાજકોટ સાથેના મોદીના નાતાની આટકોટના કાર્યક્રમમાં અસર દેખાશે.જસદણ સાથે પણ તેમનો જુનો નાતો હોય જસદણ પંથકના સંભારણા પણ વાગોળશે.વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાને લઇ દિલ્હીથી કમાન્ડોની ટીમોએ ત્રણ દિવસથી આટકોટમાં ધામા નાખ્યા છે. ગઇકાલથી તેમણે હોસ્પિટલનો અને સભા સ્થળનો કબ્જો લઇ લીધો છે.કેડી પરવડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શનિવારે જાહેર સભાને સંબોધિત કરશે. આ માટે ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની ૧,૨૦૦ બસો તૈનાત કરવામાં આવી છે.એટલું જ નહીં, જીએસઆરટીસીની ૧,૨૦૦ બસો ઉપરાંત ખાનગી શાળાઓની ૬૦૦ બસો અને કેટલાક ટ્રેક્ટર અને મલ્ટી-યુટિલિટી વ્હીકલ (એમયુવી) સૌરાષ્ટ્રના દૂરના વિસ્તારોમાંથી લોકોને રાજકોટના આટકોટ ગામ સુધી લઈ જશે.

 

કોની કોની ઉપસ્થિતિ

આ પ્રસંગે મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન આવી રહ્યા હોય રાજકોટ અને આટકોટમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આટકોટ વિસ્તાર પછાત વિસ્તાર ગણાતો હોય અહીં દર્દીઓની સારવાર માટે આ હોસ્પિટલ આશિર્વાદરૂપ બનશે. વડાપ્રધાનના આગમનને લઇ ગુજરાત ભાજપના ટોચના આગેવાનો, જિલ્લા ભાજપના આગેવાનો, સ્થાનિક તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા આટકોટ ખાતે મુકામ કરી સમગ્ર તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે.

 

કોરોનાકાળ પછી સૌરાષ્ટ્રમાં મોદીની પ્રથમ જાહેરસભા 

ભારતના વડાપ્રધાન શનિવારે એક દિવસની ગુજરાતની મુલાકાતે છે. સવારે જસદણ તાલુકાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ નિર્મિત કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું તેમના હસ્તે ઉદ્ઘાટન છે. ઉદ્ઘાટન નિમિતે હોસ્પિટલની સામેના જ ખેતરોમાં ઉભા કરાયેલા વિશાળ સમિયાણામાં તેમની જાહેરસભા યોજવામાં આવી છે. કોરોનાકાળ પછી સૌરાષ્ટ્રમાં મોદીની પ્રથમ જાહેરસભા હોવાથી કાર્યકરો અને લોકોમાં ઉત્સાહ છે. વડાપ્રધાન કાલે સૌરાષ્ટ્ર સાથેના સંભારણા વાગોળે તેવી શક્યતા છે.

નરેન્દ્રભાઇ મોદી જે વિસ્તારમાં પ્રવાસે જતા હોય તે વિસ્તારની ખાસીયતો, વિસ્તારના વ્યકિતવિશેષ અને ઐતિહાસીક સ્થળોનો પોતાના પ્રવચનોમાં ઉલ્લેખ કરે તેવું અનેક વખત બન્યું છે. રાજકોટથી કારકિર્દીની પ્રથમ ચૂંટણી લડેલા તેનો પણ અનેક વખત ઉલ્લેખ કરેલ છે. પીએમ મોદી ભૂતકાળમાં સંગઠનના હેતુથી તેમજ મુખ્યમંત્રી તરીકે રાજકીય અને વિકાસના કામો નિમિતે એકથી વધુ વખત જસદણમાં આવેલા છે. જસદણના કેટલાય લોકો સાથે તેમનો વ્યકિતગત પરિચય છે. આ પંથક સાથેના તેમના સંભારણા વકતવ્યમાં વાગોળે તેવી ધારણા છે. સ્થાનિક આગેવાનો પણ તેમની સાથેના યાદગાર પ્રસંગો વર્ણવી રહ્યા છે. ધારાસભાની ચૂંટણીનું વર્ષ છે. હોસ્પિટલના નિર્માણમાં પાટીદાર સમાજનો મોટો ફાળો છે. વડાપ્રધાનના પ્રવચન પર રાજકીય સમિક્ષકોની મીટ છે.

 

જસદણ પંથક સાથેના સબંધ ઉપરાંત હોસ્પિટલનું ઉદ્ઘાટન હોવાથી સરકારની આરોગ્ય વિષયક સેવાઓ અને સિધ્ધીઓ તેમજ કોરોનાકાળનો અને સરકારના વિકાસકામોનો ઉલ્લેખ કરે તે સ્વભાવિક છે. આટકોટ પટેલ સેવા સમાજ સંચાલિત કે.ડી.પરવાડિયા હોસ્પિટલ જસદણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાના અથાક પ્રયાસોથી અતિ આધુનિક અને વિશાળ હોસ્પિટલનું નિર્માણ થયું છે.

ગઇકાલે હોસ્પિટલથી એક કિ.મી. દુર બનાવવામાં આવેલા હેલીપેડનો પણ સુરક્ષા દળના જવાનો દ્વારા કબ્જો લઇ ભારતીય વાયુદળના હેલીકોપ્ટરોએ દિવસ દરમિયાન ઉડાનો ભરી હેલીપેડ ઉપર ઉતરાણ કરી સુરક્ષા સબંધી યોગ્ય તપાસ કરી હતી અને સાંજે હેલીપેડથી સભા સ્થળ સુધીનું રિહર્સલ કર્યું હતું.

બસોને ભાડે રાખવા માટે ચૂકવણી કરીશું 

શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ (એસપીએસએસટી) ના મેનેજિંગ ટ્રસ્ટી ભરત બોગરાએ જણાવ્યું છે કે, અમે લોકોને જાહેર સભા સ્થળે લઈ જવા માટે એસટી (રાજય પરિવહન) સેવાઓ લીધી છે. લગભગ ૨૫૦-૩૦૦ બસો ભાડે રાખવામાં આવી છે. જો કે, અમે આ બસોને ભાડે આપવા માટે ચૂકવણી કરીશું અને આ ઇવેન્ટ માટે કોઈ સરકારી મશીનરીનો ઉપયોગ કરી રહ્યા નથી.ભરત બોગરા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના ઉપાધ્યક્ષ પણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમનું આયોજન SPSST દ્વારા ભગવા પક્ષ અને અન્ય વિવિધ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, ‘કુલ મળીને, અમે ૧,૨૦૦ GSRTC બસો ભાડે કરી છે, જેમાં SPSST દ્વારા ભાડે કરાયેલી બસોનો સમાવેશ થાય છે. બાકીનાને વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા નોકરી પર રાખવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, ભાજપના જૂનાગઢ જિલ્લા એકમના પ્રમુખ કિરીટ પટેલે ૧૦૦ GSRTC બસો અને રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ ૨૦૦ બસો ભાડે કરી છે. ૨૦૦૯થી ૨૦૧૨ દરમિયાન જસદણના ધારાસભ્ય રહી ચૂકેલા બોગરાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉદઘાટન માટે આટકોટ આવતા તમામ લોકો માટે તેમણે ભોજનની વ્યવસ્થા કરી છે. ‘અમે લગભગ ત્રણ લાખ લોકોને લંચ પીરસવાની વ્યવસ્થા કરી છે. આટલું જ નહીં, જાહેર સભા માટે બનાવવામાં આવેલા ગુંબજની અંદર ૧.૨ લાખ લિટર પાણી ઉપલબ્ધ થશે. કુલ મળીને, લોકોને મદદ કરવા અને વ્યવસ્થા જાળવવા માટે લગભગ ૧૧,૦૦૦ સ્વયંસેવકો અને ભાજપના કાર્યકરો હાજર રહેશે. બોગરાએ કહ્યું, ‘અમે સુનિશ્ચિત ઉદઘાટન સમયે સૌરાષ્ટ્રમાં લગભગ ૩૦,૦૦૦ હોર્ડિંગ બોર્ડ લગાવ્યા છે. હું લોકોને ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રિત કરવા ગામડાઓમાં પણ જઈ રહ્યો છું.' હોસ્પિટલનો શિલાન્યાસ ૨૦૧૬માં કરવામાં આવ્યો હતો અને આયોજકોનું કહેવું છે કે કુલ ૧.૫ લાખ ચોરસ ફૂટના કાર્પેટ એરિયાવાળી હોસ્પિટલનું નિર્માણ રૂ. ૫૦ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. બોગરાએ કહ્યું કે ટ્રસ્ટને ૨૦૦ બેડની હોસ્પિટલના નિર્માણ અને સંચાલન માટે ૮૦ કરોડ રૂપિયા મળ્યા છે. તેમણે કહ્યું, ‘હોસ્પિટલમાં સુપરસ્પેશ્યાલિસ્ટ અને ૧૯૫-મજબુત નર્સિંગ સ્ટાફ સહિત ૩૫ ડોક્ટરો છે. હોસ્પિટલમાં ૨૨ કન્સલ્ટેશન રૂમ, છ આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર, ૧૦ વેન્ટિલેટર બેડ સાથે ૬૪ ICU બેડ અને એક નવજાત ICU છે. સીટી સ્કેન મશીન લગાવવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એમઆરઆઈ મશીન પણ લગાવવામાં આવશે. અમે નજીકના ભવિષ્યમાં એન્જીયોગ્રાફી અને ગંભીર હાર્ટ સર્જરી માટે કેથ લેબ સ્થાપવાની પણ યોજના બનાવીએ છીએ. અહી માત્ર 150 રૂપિયા જ જનરલ વોર્ડનું ભાડું રહેશે અને એમાં પણ જમવાની સુવિધા સાથે રહેશે.

 

Author : Gujaratenews