બાબા રામદેવે કહ્યું: ટૂંક સમયમાં પાકિસ્તાનના ટુકડા થઈ જશે, બલૂચિસ્તાન-POK અને સિંધ ભારતમાં ભળી જશે
26-Jan-2023
યોગગુરુ સ્વામી રામદેવજી મહારાજે પાકિસ્તાનની હાલની સ્થિતિ પર સ્ફોટક નિવેદન આપતા કહ્યું કે ટૂંક સમયમાં પાકિસ્તાન ટુકડે ટુકડે થવા જઈ રહ્યું છે. ખૂબ જ ટૂંક સમયમાં બલૂચિસ્તાન, પીઓકે અને સિંધ ક્ષેત્રને ભારતમાં ભેળવી દેવામાં આવશે અને પાકિસ્તાન એક અલગ દેશ તરીકે રહેશે.
શ્રીરામચરિતમાનસ અને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ચર્ચા પર બાબા રામદેવજીએ કહ્યું કે દેશમાં ધાર્મિક આતંકવાદ ચાલી રહ્યો છે. જેનો ઉદ્દેશ્ય સનાતન સંસ્કૃતિને અધોગતિ કરવાનો છે, આવા લોકોનો સખત વિરોધ થવો જોઈએ.
Author : Gujaratenews
04-Jun-2024