સરકારી કર્મચારીઓની તાજેતરની હડતાળને પગલે નવા શ્રમ કોડમાં હડતાળ સંબંધી નિયમો કડક બનાવાયા

22-Mar-2023

મુંબઈ, તા. 22 : કેન્દ્ર સરકારે ૨૦૨૦માં પસાર કરેલા નવા શ્રમ કોડ (સંહિતા) હેઠળના નિયમોને રાજ્ય સરકારે તેની કૅબિનેટની બેઠકમાં મંજુરી આપી દીધી હતી. કેટલાક નિયમો આ પ્રમાણે છે. કામદારોએ હડતાળ માટે બે મહિના અગાઉ નોટિસ આપવી પડશે. હાલ ૧૪ દિવસની નોટિસ આપવામાં આવે છે. ૩૦૦ કરતાં ઓછા કામદારો ધરાવતા ઉદ્યોગો સરકારની પરવાનગીની જરૂરિયાત વિના કામદારોની છટણી કરી શકશે અને માલિકો મર્યાદિત સમય માટે કર્મચારીઓને રાખી શકશે.

આ નિયમો મુજબ કોઈપણ પ્રતિષ્ઠાનમાં એકમાત્ર ટ્રેડ યુનિયન (કામદાર સંઘ) તરીકે કામ કરવા માટે તેની સાથે ૫૧ ટકા કામદારોની નોંધણી ફરજિયાત હોવી જોઈએ. જરૂરી સંખ્યા ન હોય તો પ્રતિષ્ઠાનના તમામ યુનિયનો મંત્રણા પરિષદનો ભાગ બની શકશે.

ઈન્ડસ્ટ્રીયલ ડિસ્પ્લેટસ એકટ હેઠળ મહિને રૂપિયા ૧૮,૦૦૦થી વધુ વેતન મેળવતા સુપરવાઈઝરની ભૂમિકા ભજવતા કર્મચારીઓને ‘વર્કર’ (કામદાર)ની વ્યાખ્યામાંથી બાકાત કરવામાં આવ્યા છે.

એવી જ રીતે સામાજિક, સખાવત અને સેવા ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓને ‘ઉદ્યોગ’ની આવી છે. વ્યાખ્યામાંથી પડતી મૂકવામાં આવી છે. જિલ્લા અદાલતો (ડિસ્ટ્રીક્ટ કોર્ટસ)ની જગ્યાએ અધિકારીઓ અને નિષ્ણાતોની આગેવાની હેઠળની ટ્રિબ્યુનલો રચવાની માગણી નિયમોમાં કરવામાં આવી છે.

આ નવા નિયમોની કામદાર સંઘો જરૂર અસ્વસ્થ થઈ જશે, પરંતુ એકાદ-બે એવી જોગવાઈઓ છે જે કામદારોના હિતોનું રક્ષણ કરે છે. દાખલા તરીકે કોઈ કર્મચારીને પાછો કામ ૫૨ રાખવાના નીચલી અદાલતના હુકમ સામે જો કોઈ માલિક હાઈ કોર્ટમાં જાય તો તે માલિકે તે કર્મચારીને જ્યાં સુધી હાઈ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી પુરો પગાર ચૂકવવો જોઈએ, એવી નિયમમાં જોગવાઈ કરવામાં આવી છે.

એવી જ રીતે કામદારો તેમના વ્યક્તિગત વિવાદો માટે કાનૂની રાહત મેળવી શકશે. કારણ કે, ઈન્ડસ્ટ્રીયલ ડિસ્પ્લેટસ એકરમાં એ રીતે સુધારો કરવામાં આવ્યો છે.

Author : Gujaratenews