અમદાવાદ:અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાને લઈ તમામ તૈયારી થઈ ચૂકી છે. આ દરમિયાન હવે સુરક્ષાના ભાગરૂપે અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
આ જાહેરનામું ૧૯/૬/૨૦૨૩ થી ૨૦/૦૬/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.આ રુટ રહેશે બંધ. ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું રિહર્સલભગવાન જગશાથની ૧૪૬મી રથયાત્રા નિકળવાની છે. 20 જૂન એટલે કે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળવાની છે, જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંગળવારે સવારે ચાર વાગ્યે મંગળા આરતી મહાભોગ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવશે. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડબાજાવાળા જોડાશે. આ ઉપરાંત સાધુ સંતો અને ભક્તો સાથે 1000થી 1200 સુધી ખલાસીઓ હશે. રથયાત્રાના રૂટ પર 30000 કિલો મગ, 500 કિમી જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેચાશે તેમજ 2 લાખ ઉપરણા હશે.
જગન્નાથ રથ યાત્રા પર્વનું મહત્વ
હિંદુ ધર્મમાં જગન્નાથ રથ યાત્રાનું વિશેષ મહત્વ છે. જગન્નાથ શબ્દ બે શબ્દોની સંધિથી બનેલો છે. જગ એટલે બ્રહ્માંડ અને નાથ એટલે ભગવાન. ભગવાન જગન્નાથ એટલે શ્રી કૃષ્ણ, જે ભગવાન વિષ્ણુના એક અવતાર છે. નારદ પુરાણ, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં પણ રથ યાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે.
જગન્નાથનો રથ ખેંચવાને શુદ્ધ ભક્તિ સાથે જોડવામાં આવે છે, તેનાથી પાપ નષ્ટ થતા હોવાની માન્યતા છે. ભગવાનના રથને ખેંચવાથી બધા દુખ, કષ્ટ દૂર થાય છે. તેનાથી સૌ યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે તેવી પણ માન્યતા છે.
ભગવાન જગન્નાથની રથ યાત્રા અંગેની રસપ્રદ વાતો
રથ યાત્રામાં મોસાળ કેમ જાય છે ભાઈ-બહેન ?
ભગવાન જગન્નાથની રથ યાત્રા સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. એક માન્યતા અનુસાર, જગન્નાથ રથ યાત્રા દરમિયાન રથ પર સવાર થઈને ભગવાન મોસાળ ગુંડિચા જાય છે. પુરીના ગુંડિચા મંદિરને ભગવાનના મોસાળનું ઘર માનવામાં આવે છે. અહીં ભગવાન જગન્નાથ પોતાની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે જાય છે અને એક અઠવાડિયા માટે રોકાય છે.
અહીં તેમનો આદર-સત્કાર થાય છે અને માસી તેમના પર વ્હાલ અને પ્રેમનો વરસાદ કરે છે. માન્યતા છે કે મોસાળમાં ભગવાન ખુબ ભોજન કરે છે, જેનાથી તેઓ બીમાર પડે છે. ભગવાનને સાજા કરવા માટે તેમને પથ્યનો ભોગ લગાવવામાં આવે છે. મોસાળમાં રોકાવા દરમિયાન ભગવાન જગન્નાથના દર્શનને આડપ-દર્શન કહેવામાં આવે છે. આ દિવસોમાં નારિયલ, માલપોઆ વગેરે જેવો મહાપ્રસાદનો ભોગ જગન્નાથજીને ચઢવવામાં આવે છે.સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ ભગવાન ભક્તોને દર્શન આપે છે. ત્યાર બાદ રથ યાત્રા પરત ફરે છે.
એવી પણ માન્યતા છે કે એક વખત બહેન સુભદ્રાએ તેના ભાઈ કૃષ્ણ અને બલરામજી પાસેથી શહેર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી બંને ભાઈઓએ પોતાની બહેનની ઈચ્છા પૂરી કરવા માટે એક ભવ્ય રથ તૈયાર કરાવ્યો અને તેના પર સવાર થઈને ત્રણેય શહેરોના પ્રવાસ માટે નીકળ્યા. આ માન્યતાને અનુસરીને દર વર્ષે પુરીમાં જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
25-Jun-2025