યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડીલ યાત્રા યોજાઈ

19-Jun-2022

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વિનામૂલ્યે વડીલ યાત્રા તા. 19-6-2022 ને રવિવાર ના રોજ 60 વડીલો ને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી, યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા કરાવીને સંપૂર્ણ યાત્રાનું સૌજન્ય સમાજ શ્રેષ્ઠીશ્રી મનહરભાઈ સાચપરા, યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ લિમિટેડ દ્વારા આપેલ અને સમાજ સેવા માટે પોતાનું યોગદાન આપી યાત્રા ને સવારે 8 કલાકે વાસ્તુપુજન હાઈટ્સ મંદિર થી પ્રસ્થાન કરાવી હતી. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અંકિત બુટાણી,જીજ્ઞેશ ઢોલા, હરેશ દુધાત,આશિષ બાવીશી,કેનીલ લીંબાણી,હિતેશ વેકરીયા, કપિલ ખૂંટ, નિલેશ ધામેલીયા, ભાવેશ કાકડિયા ના સથવારે યાત્રા સવારે મહાપ્રભુજીની બેઠક, ત્રણ પાનનો વડ, રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર થી ગલતેશ્વર 12 જ્યોતિર્લિંગ દર્શન કરીને બપોરે સંત કબીર આશ્રમ જમણવાર બાદ બપોર પછી ફાર્મહાઉસ સ્થિત વડીલો સાથે પારિવારિક સંવેદના કાર્યક્રમ અને સાંજે સાકરી સ્વામિનારાયણ મંદિર આરતી અને સત્સંગનો લાભ લઇ જમણવાર કરી રાત્રે યાત્રા પૂર્ણનું આયોજન કરવામાં આવ્યું હતું. મનહરભાઈ સાચપરા ની વડીલો પ્રત્યે ની સેવા ભાવના ને ખુબ ખુબ અભિનંદન સાથે વંદન અને વડીલો પ્રત્યેની સેવાના પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા.

​​​​​

Author : Gujaratenews