સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ અને અમદાવાદની નોન-શિડયુલ ફ્લાઇટનું ટાઇમીંગ જાહેર થયુ છે.
ભાવનગર અમરેલી રાજકોટ અમદાવાદની ફ્લાઈટ
સુરત : સુરતથી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ અને અમદાવાદની ફ્લાઇટ અંગે એરલાઇન્સ કંપની દ્વારા ટાઇમીંગ બહાર પાડવામાં આવ્યું છે.આ ફ્લાઇટો અગાઉથી જ ઓપરેટ થતી હતી પરંતુ ફ્લાઇટ નોન-શિડયુલ હોવાને કારણે ટાઇમીંગ બહાર પડતુ ન હતુ જેથી લોકોને અગવડતા પડતી હતી પરંતુ હવે કંપની દ્વારા ટાઇમીંગ જાહેર કરાતા લોકો ફ્લાઇટનો વધારે ઉપયોગ કરે તેવી શક્યતા છે.
વેન્ચુરા એરલાઇન્સ કંપનીના નામ સાથે જ સંકળાયેલી ફ્લાયએરકનેક્ટ કંપની દ્વારા ભાવનગર, અમરેલી, અમદાવાદ અને રાજકોટની ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી રહી છે. આ ફ્લાઇટો વહેલી સવારથી 8.30 વાગ્યે અમદાવાદ ફ્લાઇટ જશે, 11.45 વાગ્યે ભાવનગર જશે, બપોરે 1.15 વાગ્યે રાજકોટ, સાંજે 4.15 વાગ્યે અમરેલી ઉપરાંત અમદાવાદ માટે બીજી એક ફ્લાઇટ સાંજે 6.30 વાગ્યે ઉપડશે. આવી જ રીતે અમદાવાદથી સુરત એરપોર્ટ ઉપર સવારે 11.15 વાગ્યે ફ્લાઇટ આવશે, ભાવનગરથી 1.10 વાગ્યે, રાજકોટથી બપોરે 3.00 વાગ્યે, અમરેલીથી 6.05 વાગ્યે અને અમદાવાદથી રાત્રીના 11.15 વાગ્યે ફ્લાઇટ આવશે. આ જ ફ્લાઇટ બીજા દિવસે સવારે 8.30 વાગ્યે અમદાવાદ જશે. જાણકારોના કહેવા પ્રમાણે આ ફ્લાઇટોનું ભાડુ 1800 થી 3000 વચ્ચે રહેવાની શક્યતા છે.
25-Jun-2025