હવે શાળામાં ચોરી કરતા પકડાશો તો ખેર નહીં, ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી તા.14મી માર્ચથી 29મી માર્ચે યોજાશે
19-Feb-2023
બોર્ડની પરીક્ષા દરમિયાન શાળા સંચાલક મંડળના હોદ્દેદારો અને ટ્રસ્ટીના શાળા પ્રવેશ પર મનાઇ ફરમાવવામાં આવી છે.
સંચાલક મંડળના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓએ પરીક્ષા સ્થળ પર પ્રવેશ નહીં કરવા માટે આદેશ
સુરત :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા દરમિયાના ગેરરીતિ ન થાય તે માટે શાળા સંચાલક મંડળ હોદ્દેદારો અને ટ્રસ્ટીઓએ પરીક્ષા સ્થળ પર પ્રવેશ નહીં કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડીની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી તા.14મી માર્ચથી 29મી માર્ચ દરમિયાન યોજાનારી છે.
આ પરીક્ષા કેન્દ્રો ગ્રાન્ટ ઇન એઇડ અને નોન ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં બનાવવામાં આવ્યો છે. જ્યારે શાળાના આચાર્ય, શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફને પરીક્ષાની કામગીરી સોંપવામાં આવી છે. પરીક્ષા દરમિયાન શાળા સંચાલક મંડળના હોદ્દેદારો અને સભ્યોનો કોઇ પણ પરીક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવતી નથી. જ્યારે પરીક્ષા કોઇ પણ પ્રકારની ગેરરીતિ થાય નહીં અને કર્મચારીઓ પણ સારી રીતે પરીક્ષાની કામગીરી પૂર્ણ કરી શકે તે માટેની તૈયારીઓ શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે શાળા સંચાલક મંડળના સભ્યો, હોદ્દેદારોને પરીક્ષાની કોઇ કામગીરી સોંપવામાં આવી ન હોય, પરીક્ષાના સમય દરમિયાન તેમને શાળામાં પ્રવેશ નહીં કરવા માટે આદેશ કરવામાં આવ્યું છે.
25-Jun-2025