સુરતના સેવન સ્ટાર એમ્પાયર ગ્રુપની ૧૨૫થી વધુ ગ્રાહકો સાથે છેતરપિંડી વિરુદ્ધ મૌનરેલીનુ આયોજન

16-Sep-2023

સેવન સ્ટાર ગ્રુપના 1000 કરોડના કથિત કૌભાંડને લઈને અયોધ્યા ટેક્સટાઇલ મોલ અને અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટના 125 લોકો રેલી કાઢી કમિશનર કચેરીએ આવેદન આપશે. આ અગાઉ પણ ન્યાય માટે રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને લઈને ફરીવાર એકવાર ગુહાર લગાવી છે.નોંધનીય છે કે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને સેવા દિવસ તરીકે તેની ઉજવણી કરવાની છે.

તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવારે
સમય : ‌બપોરે 1.00થી 3 કલાકે

એકત્ર થવાનું સ્થળ: અઠવાગેટ ચોપાટી

મૌનરેલી ગાઈડલાઈન

૧. સૌથી પહેલાં છૂટાછવાયા આવીને અઠવા ચોપાટીની સામે બાજુ એક જગ્યાએ એકત્ર થવાનું રહેશે.

૨. ટ્રાફિક ક્લીયર કરાવવા માટે ૫-૧૦ ટ્રાફિક વોલ્યુન્ટીયર રહેશે.

૩. પ્રધાનમંત્રીને ભોગ બનનારનું લિસ્ટ મોકલવાનું હોવાથી એલોટી એકત્ર થતાં જાય તેમ તેમ નામ અને ફોન નંબરની ટુંક વિગત લેવાની રહેશે.

૪. લોકો એકત્ર થઈ જાય એટલે મૌન રેલી પગપાળા કલેક્ટર કચેરીથી પોલીસ કમિશનર કચેરી, અઠવાલાઈન્સ પહોંચશે.

પોલીસ કમિશનર કચેરીમા કાર્યક્રમ

????અયોધ્યાના તમામ બિલ્ડરોના નામ વિરુદ્ધ સૂત્રોચ્ચાર 
????અયોધ્યા મંદિરની જેમ અયોધ્યા મોલ સંદર્ભે નારાબાજી: જયશ્રી રામ= જય જયશ્રી રામ
????જૂના ૧૦ પ્રોજેક્ટ સહિત ૫ આગેવાનો જઈને આવેદન આપશે.
????મીડિયા સમક્ષ છેતરપિંડીના તમામ પુરાવા સાથે રાખી ૨૦-૨૫ જણાએ અલગ અલગ મીડિયા કર્મીઓને સેવન સ્ટારના ૧૦૦૦ કરોડના સ્કેમની વાસ્તવિકતા રજૂ કરવી.

Author : Gujaratenews