વિમાન દુર્ઘટનાથી 'અતુલ્ય બિલ્ડિંગ'માં ભયાનક આગ: અસંખ્ય રેસિડેન્ટ ડોક્ટરોના મોત, આખુ ગુજરાત સ્તબ્ધ

12-Jun-2025

એર ઈન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડીંગ ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ હતી. આ હોસ્ટેલમાં 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઈન્ટર્ન ડોક્ટરના મોત થયા હોવાના અહેવાલ છે. જોકે, આ જાણકારીની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હોસ્ટલ પાસે હાજર એમ્બ્યુલન્સ પાસે રહેલા નર્સે જણાવ્યું હતું કે, આ હોસ્ટેલ ઈન્ટર્ન ડોક્ટરની છે અને તેના ઉપર જ પ્લેન પડ્યું છે. હોસ્ટેલમાં અંદર 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હતા. અતુલ્ય 1 , 2 , 3 અને 4 જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા તે બિલ્ડીંગને પ્લાન અથડાયું હતું. પ્લાનના તમામ મુસાફરો, આ બિલ્ડિંગમાં આરામ કરતા રેસિડેન્ટ ડોક્ટરો સહિત અને લોકો પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે.

અતુલ્ય હોસ્ટેલના ચારેય બિલ્ડીંગ પર પ્લેન પડ્યું:50-60 ઈન્ટર્ન ડોક્ટર હતા. 

ગુજરાત સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

The State Govt of Gujarat has set up a control room at the State Emergency Operation Centre in connection with the Ahmedabad plane crash. The concerned can contact the control room on Phone No.079-232-51900 and Mobile No.9978405304.

અમદાવાદના મેઘાણીનગર સ્થિત આઈજીપી કમ્પાઉન્ડમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશની દુર્ઘટનાએ ભયાનક રૂપ ધારણ કર્યું છે. પ્લેનના એક ભાગ ધડાકાભેર ‘અતુલ્ય બિલ્ડિંગ’ પર પત્યું હતું, જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હોસ્ટેલ આવેલું હતું. વિમાન અથડાતાં જ આગ લાગી અને તેનાથી બિલ્ડિંગમાં રહેલા અનેક ડોક્ટરોના કરૂણ મૃત્યું થયા છે.

દૃશ્ય એટલું ભયાનક હતું કે ઘટનાસ્થળે ધૂંધાળું વાતાવરણ છવાઈ ગયું હતું. ભયાનક ધડાકા બાદ આગ લાગતા સમગ્ર બિલ્ડિંગ તહસ નહસ થઈ ગયું. ઘણા ઈન્ટર્ન ડોક્ટરોના મૃતદેહના ટુકડા થઈ ગયા હતા. અંદરનો દ્રશ્ય એવો હતો કે, કાટમાળ વચ્ચે લાશોના ટુકડા વિખેરાયેલા હતા, જેને ઓળખવી અઘરી હતી. સારવાર માટે તાત્કાલિક પહોંચી આવેલી એમ્બ્યુલન્સના કર્મચારીઓ માટે પણ સ્થિતિ નક્કી કરવી મુશ્કેલ બની ગઈ હતી.

આફતની ઘડીમાં માનવતા ઝળકી

આફતના આ ઘડીમાં માનવતાનું ચિત્રણ પણ જોવા મળ્યું. જેમ જેમ મૃતદેહ બહાર લાવવામાં આવતાં, તેમ તેમ વિઘટિત અવસ્થામાં લાશોને ઢાંકવા માટે કાપડોની જરૂર પડી. સ્થિતિ એવી હતી કે, હોસ્પિટલ સ્ટાફ અને રાહતદળ પાસે પૂરતા સફેદ કાપડ ન હતા. ત્યારે આસપાસ રહેતી મહિલાઓએ પોતાની સાડીઓ અને દુપટ્ટાઓ આપીને મદદરૂપ થવાનો માનવતાપૂર્ણ પ્રયાસ કર્યો.

રાહત કામગીરીમાં પડકારો

સ્થળ પર ફાયર વિભાગના તમામ વાહનો તાત્કાલિક દોડાવવામાં આવ્યા હતા. છતાં આગનો વિસ્તાર અને તેની તીવ્રતા એટલી વધારે હતી કે, થોડા સમયમાં પાણી ખૂટી પડ્યું. પરિણામે ફાયર વિભાગની ગાડીઓને વારંવાર નજીકના સ્ત્રોતમાંથી પાણી ભરીને પાછા ફરવું પડ્યું. લાશોના ટુકડા ખસેડવા માટે સ્ટ્રેચર પણ અપર્યાપ્ત પડતાં, ખાનગી એમ્બ્યુલન્સ અને સ્થાનિક લોકોના સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અવિસ્મરણીય દ્રશ્યો અને અસહાયતા

સ્થળ પર અફરા-તફરીનો માહોલ હતો. ઘટના જોનારાઓ તેમજ બચાવકર્મીઓ માટે આ દ્રશ્યો ભાવનાત્મક રીતે ખૂબ જ આઘાતજનક રહ્યા. ઘણા મૃતદેહ એવા હતા કે તેમને ઓળખવી પણ મુશ્કેલ બની હતી. હાલ, અધિકારીઓ દ્વારા પીड़િત પરિવારજનોને ઓળખ અને મદદ માટે પ્રોટોકોલ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તાકીદે તપાસ અને સહાયનું આશ્વાસન

પ્રશાસન દ્વારા ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને સહાય અને વ્યવસ્થિત રીતે મૃતદેહો સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

Author : Gujaratenews