અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના : મેઘાણીનગરમાં 242 પેસેન્જર સાથેનું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ, 55ના મોતનો અહેવાલ
12-Jun-2025
અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સ્થિત આઈજીપી કમ્પાઉન્ડ નજીક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. એર ઈન્ડિયાનું ફ્લાઈટ નંબર 171, એક બોઇંગ વિમાન, આજ રોજ બપોરે 1:38 વાગ્યે રનવે 23 પરથી ટેકઓફ થયું હતું અને માત્ર બે મિનિટમાં, એટલે કે 1:40 વાગ્યે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
મોટા ભાગના મુસાફરોના મોત
આ વિમાનમાં અંદાજે 200 મુસાફરો ઉપરાંત કાર્ગો પણ હતું. ટેકઓફ કર્યા પછી, વિમાન મેડે કોલ આપ્યું હતું, જેનો અર્થ થાય છે કે વિમાન મુશ્કેલીમાં હતું. પરંતુ બાદમાં ATC દ્વારા કરાયેલા કોલનો વિમાન તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. ટૂંક સમયમાં વિમાન જમીન પર પટકાઈ ગયું અને મેન્ટલ હોસ્પિટલ પાસેના વિસ્તારમાં વિમાનોના ભાગો પડતાં ભારે તબાહી સર્જાઈ.
વિમાન ક્રેશ થતાં જ અકસ્માત સ્થળેથી ઘનઘોર કાળો ધુમાડો દેખાયો હતો. ફ્લાઈટના પાંખડા તથા અન્ય ભાગો બિલ્ડિંગમાં અથડાતા અને આસપાસના વિસ્તારોમાં ખસતાં કેટલાક લોકોને પણ ઈજા પહોંચી હોવાની તેમજ મૃતદેહો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ક્રેશ થયેલું સ્થળ મેન્ટલ હોસ્પિટલના રહેણાંક વિસ્તારમાં આવેલા કમ્પાઉન્ડ નજીક હતું, જ્યાં ડોક્ટરો તથા હોસ્પિટલના અન્ય કર્મચારીઓ રહે છે. પ્લેનના પાંખડા અહીંની ગલીમાં પડતાં કેટલાક લોકો તેના નીચે દબાઈ ગયા હોવાનો અહેવાલ છે.
ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારની સુરક્ષા વધારવામાં આવી છે તથા રસ્તાઓ બંધ કરી દેવાયા છે. એરપોર્ટ તથા એરલાઈન્સ સ્ટાફ હાલ બ્લેક બોક્સની શોધમાં લાગેલા છે, જેમાં વિમાનના અંતિમ પળોની વિગતો રેકોર્ડ થયેલી હોય છે.
કેમ્પટન સુમિત સભરવાલ, જેમણે 8200 કલાકનું ઉડાનનો અનુભવ ધરાવતો હોવાનું જાણવા મળે છે, તે વિમાનના પાઈલટ હતા. જ્યારે કોપાઈલટ પાસે પણ 1100 કલાકનો ઉડાનનો અનુભવ હતો.
આ દુર્ઘટનાને લઈને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વધુ વિગતોનો રાહ જોવાઈ રહ્યો છે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
25-Jun-2025