જીવરાજભાઈ ધારૂકાવાળાના 76માં જન્મદિવસે અનેક સંસ્થાઓ દ્વારા શહેર ભરમાં સામાજિક કાર્યક્રમોથી ઉજવણી
03-Oct-2022
સામાજિક આગેવાન જીવરાજભાઈ ધારૂકાવાળાના 76 માં જન્મદિવસે અનેક સંસ્થાઓ દ્વારા શહેર ભરમાં સામાજિક કાર્યક્રમોથી ઉજવણી.
રક્તદાન કેમ્પ અને નિશુલ સર્વ નિદાન કેમ્પમાં પુણાગામના અસંખ્ય લોકોએ ભાગ લીધો હતો
સુરત અને ગુજરાતમાં સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું જીવન સમર્પિત કરનાર જીવરાજભાઈ ધારૂકાવાળાના 76માં જન્મદિવસ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંક સાથે પીપી માણીયા હોસ્પિટલ દ્વારા પુણાગામ રણુજાધામ સોસાયટી ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ નું આયોજન થયું હતું
આ અંગે કાર્યક્રમના આયોજક શ્રી હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે જીવરાજભાઈ ધારૂકાવાળા 76 માં જન્મદિવસે 76 રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતુ અને 276 લોકોએ સર્વ રોગ નિદાન કેમ્પમાં ભાગ લીધો હતો
સમગ્ર કાર્યક્રમમાં ડો. પ્રફુલભાઈ શિરોયા, ડો. નિલેશભાઈ માણીયા, ડો. પ્રવીણભાઈ કોઠીયા, પ્રવીણભાઈ ભાલાળા, વિપુલભાઈ મોવલીયા અને મમતાબેન સુરેજા સહિતના આગેવાનો તેમજ વિવિધ સોસાયટીના પ્રમુખશ્રીઓ સાથે અનેક સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 16 ના હોદ્દેદારો પણ જીવરાજભાઈ ને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા
નેત્રમ આંખની હોસ્પિટલ એન્ડ લેસર સેન્ટર દ્વારા લાભાર્થીઓની આખોની તપાસ કરવામાં આવી હતી
25-Jun-2025