રાજકોટ, : મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે જેવા ગગનભેદી નારાઓ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોનાની સાવારણીથી રથ સાફ કર્યા બાદ અર્થાત્ પહિંદ વિધિ બાદ લોખંડી પોલિસ બંદોબસ્ત ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી સાથે ભકતોને દર્શન દેવા આજે અષાઢી બીજનાં પાવન પ્રસંગે નગર ચર્યાંએ નીકળ્યા ત્યારે ભકિતના ઘોડા પુર ઉમટયા હતા.ભગવાન જગન્નાથજીની ૧૪૫મો રથયાત્રા કોરોના મહામારી ને કારણે ભકતો સાથે પ્રથમવાર નીકળી હોવાથી સમગ્ર ભકતો દર્શનની ઝલક માટે આતુર બન્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા મંગળા આરતી કર્યા બાદ શણગારેલ ગજ રાજો, ભકતીના સુરો રેલાવતી ભજન મંડળીઓ, સાંસ્કળતિક દર્શન સાથે ગુજરાત પોલીસની સિદ્ધિ દર્શાવતા ટેબ્લો પણ નજરે ચઢી રહ્યા છે, ભગવાન ભકતો અને પોલીસ રક્ષકો સાથે જયાં પ્રથમ વિરામ કરવાના છે તેવા સરસપુર અર્થાત્ ભગવાનના મામાને ઘેર ભકતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા માટે તમામ વ્યવસ્થા છે, રથ યાત્રા અહી વિરામ લેશે.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રજા સુખની કામના સાથે પરોઢ પહેલા મંદિરે પહોચેલ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા કોમી ભાઈચારાવાળી આ રથયાત્રામાં ૨૫ હજાર પોલીસના બંદોબસ્ત સાથેની આ રથયાત્રા માટે સહુ પ્રથમ વખત ડિજિટલ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવેલ. રથયાત્રા માટે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા અને લો એન્ડ ઓર્ડરના વડા નરસિહમા કોમાર દ્વારા માર્ગ દર્શન મળેલ. સીસીટીવી, ડ્રોન, હેલિકોપ્ટર, ફેસ રેકોગનાઇઝ મશીન પણ રાખવામાં આવ્યા છે.
ભગવાનની આંખો પર બંધાયેલ પાટા ખોલાયા બાદ જે ભોગ ધરાવેલ તે મગ પ્રસાદ ભાવિકો ગ્રહણ કરવા આતુર બન્યા હતા.
25-Jun-2025