યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 75મો સ્વતંત્ર દિવસ સરથાણા જકાતનાકા ખાતે ઉજવાયો

16-Aug-2021

Edited by Darshan galani, surat

SURAT : યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 75માં સ્વતંત્ર દિવસ નિમિત્તે વીર શહીદ સ્મૃતિ સ્મારક સરથાણા જકાતનાકા ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં સામાજિક અગ્રણીઓ મહાનુભાવો, સમાજશ્રેષ્ઠિઓ ગૌ પ્રેમીઓ, સંસ્થાઓના આગેવાનો અને યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના મિત્રોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, સાથે સાથે સ્વતંત્ર દિવસના પાવન પર્વ નિમિત્તે સાઇબર ક્રાઇમ વિશે પણ સરથાણા પી.એસ.આઇ. મીર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સંજય ગજેરા સહિતના વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Author : Gujaratenews