Pakistan: આતંકી હાફિઝ સઈદના ઘર પાસે જોરદાર વિસ્ફોટ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

23-Jun-2021

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પોલીસના જણાવ્યા અનુસાર લાહોરમાં થયેલા એક વિસ્ફોટનું નિશાન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક અને જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદનું ઘર હતું.

 

લાહોરના જોહર ટાઉન વિસ્તારમાં બુધવારે થયેલા આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે 14 લોકો ઘાયલ થયા છે.

 

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પોલીસના આઈજી ઇનામ ઘનીએ જણાવ્યું છે કે હાફિઝ સઈદના ઘર પાસે સુરક્ષા હોવાના કારણે હુમલાખોર ઘર સુધી પહોંચી નહોતા શક્યા.

 

પાકિસ્તાનમાં હાજર બીબીસીનાં સવાદદાતા શુમાઇલા ઝાફરીના જણાવ્યા અનુસાર આઈજી ઘનીએ મીડિયાને જાણકારી આપી, "વિસ્ફોટ હાફિઝ સઈદના ઘર પાસે થયો. ઘરની પાસે પોલીસ હોવાના લીધે હુમલાખોર ત્યાં સુધી પહોંચી નહોતા શક્યા."

 

આઈજીએ એવું પણ કહ્યું કે હાફિઝ સઈદના ઘરની નજીક બનેલી ચોકી પર તહેનાત પોલીસકર્મી હુમલાખોરોના નિશાન પર હતા એવું લાગે છે.

Author : Gujaratenews