કોરોનાથી જીત:નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોરોનાની 15 દિવસની સારવાર બાદ યુ.એન મહેતામાંથી રજા અપાઈ, હાલ આરામ પર
09-May-2021
અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની (Deputy CM Nitin Patel) તબિયત અંગે મોટા સમાચાર આવ્યા છે. 24 એપ્રિલે કોરોના પોઝિટિવ આવતાં કોરોનાની સારવાર લેવા માટે દાખલ થયેલા નીતિન પટેલ સારવાર લઈ સ્વસ્થ થયા છે. નીતિન પટેલને યુ. એન. મહેતા હૉસ્પિટલમાંથી બહુ જલદી રજા આપવામાં આવશે.
હાલમાં નીતિન પટેલ સ્વસ્થ છે અને તેમની તબિયત સારી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા (Discharge) પછી થોડા દિવસ સુધી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘર પર જ આરામ કરશે.
Author : Gujaratenews
05-Mar-2025