બાંગ્લાદેશમાં કથિત રીતે કુરાનના અપમાન મુદ્દે શનિવારે ફરી એક વખત હિંસા ફાટી નીકળી હતી, જેમાં બે હિન્દુઓના મોત નીપજ્યાં હતાં. આ સાથે કુરાનના અપમાન મુદ્દે પડોશી દેશમાં થયેલી હિંસામાં કુલ મૃત્યુઆંક છ થયો હતો. બીજીબાજુ ઈસ્કોન મંદિરે પણ ૨૦૦થી વધુના ટોળાએ મંદિર પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો. મંદિરના પુજારીની લાશ નજીકના એક તળાવમાંથી મળી હોવાનો દાવો કરાયો હતો. ઉપરાંત મુન્શીગંજમાં અરાજક તત્વોએ એક મંદિરમાં છ મૂર્તિઓ તોડી નાંખી હતી.
દુર્ગા પૂજા સમારંભ દરમિયાન કથિત રીતે એક હિન્દુ દેવતાના ઘૂંટણ પર કુરાન મૂકાયું હોવાના ફૂટેજ સામે આવ્યા પછી બુધવારે દેખાવો શરૂ થયા હતા, જેણે થોડાક જ સમયમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ચાર લોકોના મોત નીપજ્યાં હતાં. જોકે, આ ઘટના પછી સરકારે સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે તાત્કાલિક ૨૨ જિલ્લામાં અર્ધલશ્કરી દળોને નિયુક્ત કર્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, તાજા હિંસા દક્ષિણી શહેર બેગમગંજમાં થઈ હતી. દુર્ગા પૂજાના અંતિમ દિવસે શુક્રવારની નમાજ પછી સેંકડો મુસ્લિમોએ રસ્તા પર જુલુસ કાઢ્યું હતું. હિન્દુઓ ૧૦ દિવસના દુર્ગા પૂજા ઉત્સવનું સમાપન કરી રહ્યા હતા તેવા સમયે ૨૦૦થી વધુ દેખાવકારોના ટોળાએ નોઆખલીના ઈસ્કોન મંદિર પર હુમલો કર્યો હતો અને મંદિરમાં ભારે તોડફોડ કરી હતી. હુમલાખોરોએ મંદિર સમિતિના એક કાર્યકારી સભ્યની મારપીટ કરીને હત્યા કરી હતી તેમ સ્થાનિક પોલિસ સ્ટેશનના પ્રમુખ શાહ ઈમરાને કહ્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025