ઉત્તર પ્રદેશના ગોંડા ખાતે એક ભારે મોટી દુર્ઘટના બની છે. જાણવા મળ્યા મુજબ એક મકાનમાં વિસ્ફોટ થવાના કારણે આખી ઈમારત જ ધરાશયી થઈ ગઈ હતી. આ કારણે આશરે એક ડઝન કરતા પણ વધારે લોકો ઈમારતના કાટમાળ નીચે દટાઈ ગયા હતા જેમાંથી 4 બાળકો સહિત કુલ 8 લોકોના મોત થયા છે.
દુર્ઘટના અંગે જાણ થતા જ ગામલોકોએ ભેગા થઈને કાટમાળ નીચે દટાયેલા લોકોની મદદ શરૂ કરી દીધી હતી અને તેમને બહાર કાઢીને નવાબગંજ પીએચસી મોકલી આપ્યા હતા. વિસ્ફોટની આ ઘટનામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ટિકરીના ઠઠેર પુરવા ખાતે એક મકાનમાં અચાનક જ વિસ્ફોટ થયો હતો. આ કારણે બે માળની ઈમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે દુર્ઘટના બની હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં 2 પુરૂષ, 2 મહિલા અને 4 બાળકો માર્યા ગયા છે.
જાણવા મળ્યા મુજબ જે મકાનમાં આ દુર્ઘટના બની તેના માલિક પાસે ફટાકડા બનાવવાનું લાઈસન્સ પણ હતું. આ કારણે ચોક્કસ કયા કારણથી વિસ્ફોટ થયો તેની સઘન તપાસ કરવામાં આવશે. જોકે હાલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે દુર્ઘટના થઈ હોવાનું માનવામાં આવે છે.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



09-Mar-2026