વિસાવદરના લેરિયા ગામે આમ આદમી પાર્ટીના કાફલા ઉપર હુમલો , ઇસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ ઉપર જાનલેવા હુમલો
30-Jun-2021
વિસાવદરના લેરિયા ગામે આમ આદમી પાર્ટીના કાફલા ઉપર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો. જેમાં આમ આદમી પાર્ટીના કાફલાની ગાડીના કાચ તૂટી ગયા. આ પથ્થરમારાની ઘટનામાં આપના એક કાર્યકરને ગંભીર ઇજા પહોંચી છે.
આપના એક કાર્યકર્તા ગંભીર રીતે ધાયલ
ભાજપ પ્રેરિત ગુંડાઓએ હુમલો કર્યાનો આક્ષેપ
વિસાવદરના લેરિયા ગામમાં જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો તે નેતાઓમાં તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ મહેશ સવાણી જેવા મોટા નેતાઓ હાજર હતા. તો તેમણે આક્ષેપ લગાવ્યો છે કે સમગ્ર હુમલો ભાજપ પ્રેરિત હતો અને ભાજપના ગુંડાઓએ ધારિયા તલવાર સાથે હુમલો કરી દીધો હતો.
Author : Gujaratenews
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



02-Feb-2026