Bhavnagar : હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે નવું સોપાન, દિલ્લી-સુરત અને મુંબઈ સીધી વિમાન સેવા શરૂ થશે
20-Aug-2021
Bhavnagar : હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરથી દિલ્લી, સુરત અને મુંબઈની સીધી વિમાન સેવાની આજથી શરૂઆત થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલી ફલેગ ઓફ કરી વિમાન સેવાની શરૂઆત કરશે.
આજે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઇસ જેટની ફલાઇટનો શુભારંભ કરવામાં આવશે. સી.આર.પાટીલ, ભારતી શિયાળ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સહિતના નેતાઓ હાજર રહેશે. પીએમ મોદીએ ‘ઉડે દેશ કા આમ આદમી’, ‘ઉડાન યોજના’ હેઠળ દેશમાં નાના શહેરોને પણ એર કનેક્ટિવિટીથી જોડવાનું જે અભિયાન ઉપાડ્યું છે. તેમાં ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું આ નવું સોનેરી સોપાન બની રહેશે.
Author : Gujaratenews
05-Mar-2025