ભિલોડા,મેધરજ અને શામળાજીમાં ટ્રોમા સેન્ટર અને ફાયર સ્ટેશન ફાળવવા સંદર્ભે અરવલ્લી જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને લેખિતમાં પત્ર પાઠવ્યો
28-Dec-2021
અરવલ્લી:અરવલ્લી જીલ્લાનો ભિલોડા,મેધરજ અને શામળાજી વિસ્તાર અંતરિયાળ ડુંગરાળ ગ્રામીણ વિસ્તાર આવેલ છે.આરોગ્ય વિષયક સુવિધાઓ હાલના તબક્કે કોરોના વાઈરસ સહિત જીવલેણ મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ અવાર -નવાર નાના - મોટા અકસ્માતો સર્જાતા સર્જાતા હોય છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે નિર્દોષ વ્યક્તિઓ મોતના ખપ્પરમાં હોમાઈ જતા હોય છે.
અરવલ્લી જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પારધી એ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને લેખિતમાં પત્ર પાઠવ્યો છે.ભિલોડા,મેધરજ અને શામળાજીમાં ટ્રોમા સેન્ટર અને ફાયર સ્ટેશન સત્વરે ફાળવવા સંદર્ભે લેખિતમાં અનુરોધ કર્યો હતો.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



02-Feb-2026