હવે રેલવે પ્લેટફૉર્મ ટિકિટ પહેલાની જેમ 10 રૂપિયામાં મળશે. સમાચાર એજન્સી એએનઆઈના અનુસાર, ભારતીય રેલવેએ કોરોના મહામારીના સમયે પ્લેટફૉર્મ ટિકિટના વધારેલા ભાવ પરત લઇ લીધા છે. પહેલા મહામારી દરમિયાન રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવાના ઉદ્દેશ્યથી ભાવમાં વધારો કરાયો હતો. કેટલાક પ્લેટફૉર્મ પર 50 રૂપિયા ટિકિટ કરાઇ હતી.
રેલવેએ કોરોના મહામારી બાદ બંધ કરાયેલી ટ્રેનોમાં કેટરિંગ સેવાઓને ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આની શરૂઆત રાજધાની, શતાબ્દી, દુરંતો, વંદે ભારત, તેજસ અને ગતિમાન એક્સપ્રેસ ટ્રેનોથી થશે. આ નિર્ણય રેલવે બોર્ડે બુધવારે લીધો છે. ટુંક સમયમાં જ અન્ય ટ્રેનોમાં પણ આ સેવા શરૂ થઇ જશે.
Author : Gujaratenews
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



02-Feb-2026