રેશન કાર્ડમાંથી તમે પણ દિવસોથી અનાજ નથી લીધું ? તો રેશનકાર્ડ રદ થઇ શકે છે, જાણો શું છે નિયમ
20-Oct-2021
જો તમે રેશનકાર્ડ ધરાવો છો તો આ સમાચાર તમારા માટે છે. રાજ્ય સરકાર સમયાંતરે રેશનકાર્ડની યાદી અપડેટ કરતી હોય છે.ત્યારે જો કોઈ ગડબડી જોવા મળે તો રેશનકાર્ડ રદ કરવામાં આવે છે. ત્યારે આ અંતર્ગત તમે લાંબા સમયથી અનાજ લેવા માટે તમારા રેશન કાર્ડનો ઉપયોગ કર્યો નથી, તો તમારું કાર્ડ રદ થઈ શકે છે.
ત્યારે તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રેશનકાર્ડ ધારક પરિવારોને અનાજ આપવામાં આવે છે. ત્યારે પરિવારમાં સભ્યોની સંખ્યાના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ, સરકાર લોકોને ખૂબ જ સસ્તા દરે અનાજ આપે છે. તેનો હેતુ ગરીબ પરિવારોને આર્થિક મદદ કરવાનો છે.
રેશન વિભાગમાં કયા મહિનામાં, તમે કેટલું રાશન લીધું અને તમારા પરિવારમાં કેટલા સભ્યો છે ત્યારે આવી બધી માહિતી રેશનકાર્ડમાં હોય છે.ત્યારે નિયમો પ્રમાણે તમારા નામે રેશનકાર્ડ હશે તો જ તમને PDS પર અનાજ મળશે. ત્યાર તાજેતરમાં જ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં આવા તમામ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા હતા, જેનો લાંબા સમય સુધી ઉપયોગ થયો ન હતો.
ત્યારે જો કોઈ રેશનકાર્ડ ધારકે છ મહિનાથી અનાજ લીધું નથી ત્યારે નિયમો પ્રમાણે તે સાબિત થાય છે કે તેને સસ્તા દરે મળતા અનાજની જરૂર નથી અથવા તે રાશન લેવા માટે લાયક નથી. ત્યારે આવી સ્થિતિમાં, આ કારણોના આધારે, જે વ્યક્તિએ છ મહિના સુધી રાશન લીધું ન હોય તો તેનું રેશનકાર્ડ રદ કરવામાં આવે છે. દિલ્હી, બિહાર, ઝારખંડમાં પણ રાશનને લગતા સમાન નિયમો લાગુ પડે છે.
આવી સ્થિતિમાં, જો તમારું રેશનકાર્ડ રદ કરવામાં આવે છે, તો તમે તેને ફરીથી સક્રિય કરી શકો છો. આ માટે, તમારે તમારા રાજ્યમાં AePDS ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને કેટલીક રવી પડશે. એટલું જ નહીં, તમે ભારતભરમાં AePDS રેશન કાર્ડ પોર્ટલની મુલાકાત લઈને તેને સક્રિય કરી શકો છો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025