હાલના એક અભ્યાસ પરથી ખબર પડી છે કે, ઈલેક્ટ્રીક વ્હીકલ્સ યાને EVનો વપરાશ ભલે ટૂંકાગાળે ગ્રીનહાઉસ ગેસ ઉત્પાદનમાં ઘટાડો કરે, છતાં લાંબાગાળે તો તેનાથી પણ પર્યાવરણની સમસ્યા ઊભી જ છે. હવામાન પરિવર્તન યાને ક્લાઈમેટ ચેન્જ સામે EVનો વપરાશ ભલે આદર્શ મનાતો હોય, છતાં આવા વાહનો પણ જતે દિવસે તેના ટાયરો થકી હવાના પ્રદુષણ પર પ્રતિકૂળ અસર કરશે. સંશોધન પરથી જાણવા મળ્યું કે, EVનું વજન જેટલું વધશે એટલી જ તેના ટાયરોની ખપત પણ વધતી જશે અને તેને કારણે વાતાવરણમાં નુકસાનકારક માઈક્રોપ્લાસ્ટીક્સનું પ્રમાણ ખૂબ વધી જશે. આવા વાહનોમાં વપરાતા ટાયરોમાં રબર પાર્ટીકલ્સ વપરાય છે, જે જોખમી હવા પ્રદુષક છે.
Author : Gujaratenews
Related Articles
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
03-Jun-2025