આવતીકાલે મમતા સતત ત્રીજી વખત બંગાળના સીએમ પદે શપથ લેશે

04-May-2021

કોલકાતા, તા. ૩ સોમવારે મમતા બૅનરજીને ટીએમસીના ધારાસભ્યોએ

પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરકાર બનવા જઇ વિધાનસભામાં પાર્ટીના નેતા તરીકે પસંદ કર્યા હતા. જ્યારે રહી છે, પાંચમી મેએ મમતા બેનરજી સતત ત્રીજી વખત સાંજે મમતા બેનરજી રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા રાજ્યના મુખ્ય પ્રધાન પદે શપથ ગ્રહણ કરશે. આ પહેલા હતા.

નંદીગ્રામમાં ફરી મતગણતરીનો આદેશ અપાય તો ચૂંટણી અધિકારીને જીવના જોખમનો ડર : મમતાનો આરોપ

પક્ષની બેઠક બાદ ટીએમસીના નેતા અને શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીએ કહ્યું હતું કે બુધવારે શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવશે. જેમાં મમતા બેનરજી સતત ત્રીજી વખત મુખ્ય પ્રધાન પદે શપથ ગ્રહણ કરશે. સાથે તેમના મંત્રીમંડળમાં સમાવેશથનારા મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે. મમતા બેનરજી નંદીગ્રામ સીટ પર હારી ગયા મતગણતરીની માગણી કરી હતી.

મમતાએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પરિણામો જાહેર થયા તેના એક દિવસ અગાઉ નંદીગ્રામમાં ગડબડ કરાઇ હતી.

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસે ઐતિહાસિક ૨૧૩ બેઠક મેળવી છે જ્યારે ભાજપને ૭૭ બેઠકો જ મળી હતી. કોંગ્રેસ અને ડાબેરી પક્ષને એક પણ બેઠક પર જીત નહોતી મળી. જેને પગલે મમતા બેનરજીની સ્પષ્ટ બહુમત વાળી સરકાર બનવા જઇ રહી છે.

Author : Gujaratenews