વાવાઝોડાથી પાકને નુકસાન થતા શાકભાજીના ભાવો આસમાને

29-May-2021

સુરત શહેર જિલ્લામાં તાજેતરમાં આવેલું વિનાશક વાવાઝોડાએ ખેતી તેમજ બાગાયતી પાકોને નુકસાન કરવા સાથે આફતરૂપ બનતા શાકભાજીના ઉત્પાદનને સીધી તેમજ આડકતરી રીતે અસર પડી છે ગરમીની મોસમમાં જગતના તાતની ઘટતી આવકની સાથે વાવાઝોડાએ વિના શ્વેતા સુરત શહેરમાં શાકભાજીના ભાવોમાં ભારે ભડકો થયો છે પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગિય પ્રજાને ભરણપોષણના બે છેડા ભેગા કરવા દોહલા થઇ પડ્યા છે.

 

 સુરતમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયગાળાથી વૈકિ મહામારી કોરોના થી ભારે પ્રભાવિત થવા સાથે કામ ધંધા ઓ, નોકરીઓમાં અસર થતા અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ઉદ્યોગ ધંર્ધાઓને પણ ભારે અસર થતાં લોકો પાસે આજીવિકાના માધ્યમો બરાબર રહ્યા નથી એવા સમયે પરિવારોનું ભરણ પોષણ કેવી રીતે કરવું એ લોકો માટે યક્ષ? પ્રશ્ન સાબિત થયો છે બાકી રહી જતું હતું તે અધૂરામાં પુરૂ દેશમાં રાતોરાત વધતી જતી મોંઘવારી પેટ્રોલ- ડીઝલ. ખાદ્યતેલ. કરિયાણું. રાંધણ ગેસ ની તો વાત જ થાય તેમ નથી કુદરતની આટલી કસોટી લોકો માટે ઓછી હોય તેમ તાજેતરમાં એક અણધારી કુદરતી આફત તાઉ–તે વાવાઝોડા રૂપે ત્રાટકી હતી.

 

સુરત શહેર-જિલ્લા ને બરાબર ધમરોળી રાખી દેનારી આ કુદરતી આફત હવે સામાન્ય માનવી માટે મુશ્કેલી છોડીને ગઇ છે. પ્રતિ વર્ષ શહેરમાં ઉનાળાના સમયગાળા દરમિયાન શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતો હોય છે. કારણકે ઉનાળુ શાકભાજી માટે પર્યાપ્ત માત્રામાં જિલ્લામાં પિયતની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થતાં મોટાભાગના ખેડૂતો ચોમાસાના ખરીફ પાકોના વાવેતર માટે જમીનને ખેડીને આવનારી સિઝન માટે તૈયારીમાં લાગી પડતા હોય છે.

 

Author : Gujaratenews