અમદાવાદના આનંદનગરમાં 10થી વધુ ઝૂંપડાઓમાં આગ, પોલીસે વિસ્તાર ખાલી કરાવ્યો

25-May-2021

 

અમદાવાદના આનંદનગરમાં 10થી વધુ ઝૂંપડાઓમાં આગ, ફાયરબ્રિગેડની 6થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી, પોલીસે વિસ્તાર ખાલી કરાવ્યો છે. 

ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ 10થી વધુ કાફલા સાથે પહોંચી હતી. હાલ ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કરવામા આવ્યા છે. બીજી બાજુ વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આવેલા તમામ ઝુંપડાઓમાંથી લોકોને ખસેડી દેવામાં આવ્યા છે. આગ વધુ ભીષણ બનતા ફાયર ફાઈટરોની મદદ પણ લેવામાં આવી છે. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલા હોવાથી આગને કાબુમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલીઓ પડતા મકાનો પર ચડી અને ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી છે.

Author : Gujaratenews