31 માર્ચ સુધી વિલંબિત રિટર્ન ફાઈલ નહિ કરનારને દંડ સાથે જેલના સળિયા ગણવા પડશે, જાણો શું છે નિયમ

11-Jan-2022

નાણાકીય વર્ષ 2020-21 (FY 2020-21) માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2021 હતી. જો તમે ITR ફાઇલ કરી શક્યા નથી તો તમે 31 માર્ચ 2022 સુધીમાં વિલંબિત ITR (Belated ITR) ફાઇલ કરી શકો છો. નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વીતી ગયા પછી કરદાતા પાસે Belated ITR ફાઇલ કરવાની તક હોય છે.

જો કરદાતાઓ 31 માર્ચ, 2022 સુધીમાં ITR ફાઇલ નહીં કરે તો આવકવેરા વિભાગ કરની જવાબદારીના 50 ટકા સુધીનો દંડ ફટકારી શકે છે. ક્ષેત્રના જાણકાર બળવંત જૈન કહે છે કે આવા કરદાતાઓની સમસ્યા માત્ર દંડથી પુરી થતી નથી. જો ITR ન ભરાય તો આવકવેરા વિભાગ તેમના પર કેસ કરી શકે છે. વર્તમાન આવકવેરા કાયદા હેઠળ ઓછામાં ઓછા ત્રણ વર્ષની જેલ અને વધુમાં વધુ સાત વર્ષની જેલ થઈ શકે છે. આવકવેરા વિભાગ માત્ર ત્યારે જ કાનૂની કાર્યવાહી શરૂ કરી શકે છે જો કરની જવાબદારી રૂ.10,000થી વધુ હોય.

Author : Gujaratenews